સમસ્ત આહિર સમાજને unity of ahir ના "જય મુરલીધર".

અમારો હેલ્પલાઈન નંબર 9558491111 છે.

સહુ એક આહિર બનો, કોણ સોરઠીયો, કોણ વાગડિયો, કોણ મચ્છોયો, કોણ વણાંર, કોણ કાંબરીયો, કોણ પંચોળી.
વાડાભેદ જશે તો આહિરોની સામાજીક બાબતો સરળ બનશે,
‘કલિયુગે સંઘ બળ કામ કરશે’ એકલાનો અવાજ હવામાં ઉડી જશે.
વાડાભેદ સમ્યે વિદાય થઇ રહેલા વિકલ્પો પુનઃ પાછા ફરશે.
આહિર જ્ઞાતી ડંકો દેશે, ગમે તેવા પડકારની સામે બાથ ભીડશે. ધારેલા સોપાનો સર કરશે.
બુદ્ધિજીવી અને નાણાં વેરનારાના હાથ હેઠા પડશે
. તે દી આગેવાની આહિરોના પગમાં આળોટશે.
ખ્યાલ આવશે સંગઠન શું કામ કરશે. આંબો પાક્યે મીઠા ફળ મળશે?

હું પણું અહમ, નાના મોટાના ભેદ જશે તો મુરલીધરની કૃપાથી રિધ્ધિ સિધ્ધિ આહિરોના આંગણે જરુર આવશે.
શ્રી કૃષ્ણ સૌને સદબુધ્ધિ આપે અને આહિર એક બને.

શ્રી સંત મુખેથી આશીર્વચન.